• Latest
  • Trending
  • All
શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ, શા માટે કહેવાય છે “ભગુડા ગામ એજ મોગલ ધામ”

શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ, શા માટે કહેવાય છે “ભગુડા ગામ એજ મોગલ ધામ”

July 30, 2023
“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

August 27, 2026
સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ રાશિના જાતકોની આવકના માર્ગો ખુલશે, ભાગ્યના સહયોગથી દરેક કાર્ય સફળ થશે.

સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.

August 27, 2026

28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર

August 27, 2026

25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે

February 24, 2026

12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

May 12, 2024

6 મે 2024 નું રાશિફળ: આજે, માસિક શિવરાત્રીના દિવસે, આ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલશે, ભગવાન શિવના અપાર આશીર્વાદ વરસશે, દરેક મનોકામના પૂર્ણ થશે

May 6, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય

April 10, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

April 10, 2024
મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

March 8, 2024

8 માર્ચ 2024 નું રાશિફળ: આજે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે શિવ યોગ, આ રાશિઓ થશે ભાગ્યશાળી, ભોલે બાબા વરસાવશે અપાર આશીર્વાદ.

March 8, 2024

7 માર્ચ 2024 નું રાશિફળ: આ રાશિના જાતકો માટે મોટા આર્થિક લાભની તકો ઉભી થઈ રહી છે, તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે.

March 7, 2024
કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

February 22, 2024
  • Home
Saturday, September 19, 2026
  • Login
Jo Bakudi
No Result
View All Result
Jo Bakudi
No Result
View All Result
Home ધાર્મિક

શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ, શા માટે કહેવાય છે “ભગુડા ગામ એજ મોગલ ધામ”

by Jobakudiadmin
July 30, 2023
in ધાર્મિક
0
શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ, શા માટે કહેવાય છે “ભગુડા ગામ એજ મોગલ ધામ”
793
SHARES
2.3k
VIEWS
Share on FacebookShare on Twitter

આઇશ્રી મોગલ માં ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા એવા પ્રકારની જાણવા મળે છે કે, દુષ્કાળ ના સમય માં જૂનાગઢ ચારણ ના નેસડા માં કામળીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુ ના નિભાવ માટે ગયા હતા. જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ માનું સ્થાપન હતું. કામળીયા આહીર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ. વર્ષ સારું થતા માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈશ્રી માં મોગલ કાપડામાં આપેલ.

કામળીયા આહીર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ. ત્યારથી આઇશ્રી મોગલ માં ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઇશ્રી માં મોગલ કામળીયા આહીર સમાજના ભગુડાના 60 પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિ ના અનેક લોકો આસ્થા પૂર્વક માતાજીની સેવા-પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે.

ભગુડા કામળીયા આહીર પરિવારના 60 પરિવારોનો કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર પેઢી દર ત્રણ વર્ષે માતાજીનો ભેળીયો અને લાપસી ફરજીયાત પણે કરે છે. તેમજ દર મંગળવારે ભગુડા ગામના બધાજ લોકો માતાજીના દર્શને ફરજીયાત પહોંચે છે. ભગુડા માના આંગણે મંગળવારે બે-ત્રણ હજાર દર્શનાર્થીઓ અને રવિવારે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન દરરોજ 10 થી 15 હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે.

એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા ‘આઈ’ ના નયનો. ‘આઈ મોગલનું’ આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. “માઁ મોગલ” પારંપરિક પૂજા- અર્ચના કરવામાં આવે છે. અહીં માઁ ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માઁ ને ‘લાપસી’ નો પ્રસાદ ચઢાવે છે. અહીંયાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે, ‘માઁ મોગલ’ ને લાપસી અતિપ્રિય છે.

ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને “તરવેડાનો “(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે. લોક વાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ૨૪ કલાક શરૂ રહે છે.

આવાસ માટે પણ ૨૦ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા-પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે. અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને ૧૯૯૭માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા ૨૦ વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે.

Share317Tweet198
Jobakudiadmin

Jobakudiadmin

Recent Posts

  • “ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.
  • સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.
  • 28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર
  • 25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે
  • 12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

Recent Comments

No comments to show.

Archives

  • August 2026
  • February 2026
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Uncategorized
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધાર્મિક
  • ન્યુઝ
  • મનોરંજન
  • રમત ગમત
  • રસોઈ
  • રાશિફળ
  • સ્વાસ્થ્ય
Jo Bakudi

Copyright © 2017 JNews.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home 1
  • Home 2
  • Home 3
  • Home 4
  • Home 5
  • Privacy Policy
  • Sample Page

Copyright © 2017 JNews.